મોદીના ઇશારે કામ કરે છે કેજરીવાલ : કૉન્ગ્રેસ

20 October, 2012 06:24 AM IST  | 

મોદીના ઇશારે કામ કરે છે કેજરીવાલ : કૉન્ગ્રેસ

કૉન્ગ્રેસના પ્રવકત્તા મનીષ તિવારીએ જણાવ્યું હતું કે બીજેપીમાં ચાલી રહેલી આંતરિક લડાઈના કારણે આઇએસીએ નીતિન ગડકરીને ટાર્ગેટ કર્યા હતા. બીજેપીના રાજ્યસભાના સભ્ય અને પીઢ વકીલ રામ જેઠમલાણીએ પણ ગડકરી વિરુદ્ધ ભ્રષ્ટાચારના નક્કર પુરાવા હોવાનો દાવો કર્યો હતો. ગઈ કાલે તિવારીએ જેઠમલાણીને આ પુરાવા જાહેર કરવાનો પડકાર ફેંક્યો હતો.

બીજેપીના એક ચોક્કસ જૂથ વતી કેજરીવાલ કામ કરી રહ્યા હોવાનો આક્ષેપ કરતાં તિવારીએ જણાવ્યું હતું કે ગડકરી વિરુદ્ધ પુરાવા હોવાના જેઠમલાણીના દાવા પણ વડા પ્રધાન બનવાની નરેન્દ્ર મોદીની યોજનાના ભાગરૂપ છે. તિવારીએ જોકે ઉમેર્યું હતું કે વડા પ્રધાનપદનું મોદીનું સપનું ક્યારેય પૂરું નહીં થાય.