03 March, 2021 11:38 AM IST | Jammu & Kashmir | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કૉન્ગ્રેસના કાર્યકરોએ જમ્મુમાં પક્ષના સિનિયર નેતા ગુલામ નબી આઝાદનું પૂતળું બાળ્યું હતું અને તેમની વિરુદ્ધ સૂત્રો પોકાર્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં યોજાયેલા જી-૨૩ કાર્યક્રમમાં આઝાદે પીએમ નરેન્દ્ર મોદીનાં વખાણ કર્યાં હતાં અને જણાવ્યું હતું કે પીએમે ચા વેચનાર તરીકેના તેમના ભૂતકાળ વિશે સ્પષ્ટપણે જણાવ્યું છે અને તેમણે કદી તેમના બૅકગ્રાઉન્ડને છુપાવવાનો પ્રયત્ન નથી કર્યો.
જમ્મુ અને કાશ્મીર પ્રદેશ કૉન્ગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી શાહનવાઝ ચૌધરીએ આઝાદ પર નિશાન તાકતાં જણાવ્યું હતું કે કૉન્ગ્રેસે હંમેશાં આઝાદને આદરભર્યું સ્થાન આપ્યું, પણ આજે જ્યારે પક્ષને મદદ કરવાનો સમય છે ત્યારે આઝાદે બીજેપી સાથે મૈત્રી કરી લીધી છે.