20 July, 2026 02:02 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સમાં ચિન્મય મિશનને મળ્યું સ્થાન
અધ્યાયન, સેવા અને આત્મ-રૂપાંતરણ દ્વારા વેદાંત અને ભગવદ્ ગીતાના શાશ્વત જ્ઞાનનો પ્રસાર કરવા માટે સમર્પિત વૈશ્વિક આધ્યાત્મિક અને શૈક્ષણિક સંસ્થા `ચિન્મય મિશન` (Chinmay Mission)ને `એકસાથે સૌથી વધુ લોકો દ્વારા ઓનલાઇન પઠન કરવા`ના ખિતાબ માટે `ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ` (Guinness World Records) દ્વારા સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી છે.
૯ મે, ૨૦૨૬ના રોજ આયોજિત વૈશ્વિક પહેલ `ચિન્મય ગીતા સમર્પણમ્` દરમિયાન કુલ ૮,૨૭૭ સત્તાવાર રીતે ચકાસાયેલા સહભાગીઓએ એકસાથે ભગવદ્ ગીતાના ૧૫મા અધ્યાય (પુરુષોત્તમ યોગ)નું પઠન કર્યું હતું. આ સિદ્ધિએ ૫,૧૮૮ સહભાગીઓના અગાઉના ગિનીસ વર્લ્ડ રેકોર્ડને પાછળ છોડીને એક નવો વૈશ્વિક વિક્રમ સ્થાપિત કર્યો છે.
આ રેકોર્ડ ચિન્મય ચળવળના ૭૫ વર્ષ પૂર્ણ થવાની વર્ષભરની ઉજવણી `ચિન્મય અમૃત મહોત્સવ` ના ભાગરૂપે હાસિલ કરવામાં આવ્યો હતો. પૂજ્ય ગુરુદેવ સ્વામી ચિન્મયાનંદજીની દ્રષ્ટિથી પ્રેરિત, આ પહેલનો ઉદ્દેશ્ય ભગવદ્ ગીતાના કાલાતીત જ્ઞાન દ્વારા વિશ્વભરના લોકોને એકસાથે લાવવાનો હતો, જેથી સામૂહિક પઠનને ભક્તિ, આત્મચિંતન અને આધ્યાત્મિક એકતાની સહિયારી અભિવ્યક્તિમાં રૂપાંતરિત કરી શકાય.
આ પહેલમાં ૭૦ થી વધુ દેશોમાંથી ૭૫,૦૦૦ થી વધુ રજીસ્ટ્રેશન થયા હતા, જેમાં ૩૨,૦૦૦ થી વધુ લોકો લાઈવ ઓનલાઈન પઠન સત્રોમાં જોડાયા હતા. ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સની ચકાસણી પ્રક્રિયા પછી, ૮,૨૭૭ સહભાગીઓ રેકોર્ડની જરૂરી શરતો પૂર્ણ કરવામાં સફળ રહ્યા હતા. આ સિદ્ધિ વિશ્વભરના બાળકો, યુવાનો, પરિવારો, આધ્યાત્મિક સાધકો અને ભક્તોના સામૂહિક સહયોગથી શક્ય બની હતી. આ આયોજનને લગભગ ૧,૦૦૦ પ્રશિક્ષિત સ્વયંસેવકો દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું, જેમણે માત્ર સત્રોનું સંકલન જ ન કર્યું પરંતુ તમામ વયજૂથના સહભાગીઓને દસ્તાવેજીકરણ પ્રોટોકોલનું પાલન સુનિશ્ચિત કરીને ઓનલાઈન પ્લેટફોર્મ પર સરળતાથી જોડાવવામાં મદદ પણ કરી.
ચિન્મય મિશને આ ઇવેન્ટના ટેક્નોલોજી પાર્ટનર સિસ્કો વેબેક્સ (Cisco Webex) નો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો, જેમના પ્લેટફોર્મે ૮૦૦ થી વધુ એકસાથે ચાલેલા ઓનલાઈન સત્રો દ્વારા વિશ્વભરના સહભાગીઓને એકીકૃત રીતે જોડાવા સક્ષમ બનાવ્યા હતા. આ ઉપરાંત `ગીતા પરિવાર`, `એસજીએસ અવધૂત દત્ત પીઠમ` અને સમગ્ર વૈશ્વિક ચિન્મય મિશન પરિવારનો આ પહેલમાં તેમના અતૂટ સહયોગ અને યોગદાન બદલ આભાર માન્યો હતો.
આ પ્રસંગે બોલતા, ચિન્મય મિશનના વૈશ્વિક વડા પૂજ્ય સ્વામી સ્વરૂપાનંદજીએ જણાવ્યું હતું કે, ‘આ માન્યતા માત્ર કોઈ વિશ્વ રેકોર્ડની ઉજવણી નથી, પરંતુ ભગવદ્ ગીતાનું કાલાતીત જ્ઞાન ખંડો ઓળંગીને લોકોના હૃદય સુધી પહોંચી રહ્યું છે તેની ઉજવણી છે. ભાગ લેનાર દરેક વ્યક્તિ એક એવા સામૂહિક આધ્યાત્મિક સમર્પણનો હિસ્સો બની ગઈ જેણે ભૌગોલિક સીમાઓ, ભાષા અને સંસ્કૃતિથી પર રહીને કાર્ય કર્યું. સાચી સિદ્ધિ સંખ્યાઓમાં નથી, પરંતુ ભગવદ્ ગીતાના મૂલ્યોને જીવવાના અને વેદાંતને સર્વસામુદાયિક બનાવવાના પૂજ્ય ગુરુદેવ સ્વામી ચિન્મયાનંદજીના વિઝનને આગળ ધપાવવાના સહિયારા સંકલ્પમાં રહેલી છે. અમે આ સિદ્ધિ ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં અને ગુરુદેવની કૃપા પ્રત્યે અત્યંત કૃતજ્ઞતા સાથે અર્પણ કરીએ છીએ, જે વિશ્વભરના લાખો લોકોને પ્રેરણા આપતી રહે છે.’
ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સના ખિતાબ ઉપરાંત, આ માઇલસ્ટોન આજના પરસ્પર જોડાયેલા વિશ્વમાં ભગવદ્ ગીતાના સાર્વત્રિક ઉપદેશોની વધતી જતી વૈશ્વિક સુસંગતતા દર્શાવે છે. તે સરહદો પાર આધ્યાત્મિક શિક્ષણ, સાંસ્કૃતિક જોડાણ અને સામૂહિક કલ્યાણને પ્રોત્સાહન આપવાની સાથે સમકાલીન પ્લેટફોર્મ્સ દ્વારા વેદાંતિક જ્ઞાનને સુલભ બનાવવા માટે ચિન્મય મિશનની સતત બદ્ધતાને પુનરોચ્ચારિત કરે છે.
જેમ જેમ ચિન્મય મિશન તેની ૭૫ વર્ષની સફરની ઉજવણી કરી રહ્યું છે, તેમ આ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સની માન્યતા આધ્યાત્મિક જાગૃતિ, મૂલ્ય- આધારિત શિક્ષણ, સાંસ્કૃતિક સંરક્ષણ અને માનવતાની નિઃસ્વાર્થ સેવામાં તેના અવિરત યોગદાનમાં વધુ એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન તરીકે ઉભરી આવી છે.
ચિન્મય મિશન એ અંતરના રૂપાંતરણ અને આધ્યાત્મિક જાગૃતિ માટે સમર્પિત એક વૈશ્વિક ચળવળ છે, જે વેદાંતના શાશ્વત જ્ઞાનમાં મૂળ ધરાવે છે અને ૧૯૫૧ થી પૂજ્ય ગુરુદેવ સ્વામી ચિન્મયાનંદજીની દ્રષ્ટિથી પ્રેરિત છે. ચિન્મય મિશન ૨૯ દેશોમાં ૩૦૦ થી વધુ કેન્દ્રો દ્વારા સેવા આપે છે, જેમાં આશ્રમો અને મંદિરોનું સંચાલન, ૧૦૦ થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ, ૧,૨૫૦ થી વધુ ગામડાઓમાં વ્યાપક ગ્રામીણ વિકાસની પહેલ અને એક હોસ્પિટલનો સમાવેશ થાય છે. કોચી, કેરળ નજીક એક ડીમ્ડ-ટુ-બી યુનિવર્સિટી `ચિન્મય વિશ્વ વિધ્યાપીઠ` ૨૦૧૭ થી કાર્યરત છે. અધ્યયન, આધ્યાત્મિક સાધનાઓ અને નિઃસ્વાર્થ સેવા દ્વારા મિશન મજબૂત વ્યક્તિઓ અને વધુ ખુશહાલ વિશ્વનું નિર્માણ કરવાનો પ્રયાસ કરે છે - જે રોજિંદા જીવનમાં જ્ઞાનનો પ્રકાશ લાવે છે. વિશ્વભરના કેન્દ્રો સાથે, મિશન આધ્યાત્મિકતા, શિક્ષણ અને સમુદાય સેવામાં કાર્યક્રમો ચલાવે છે, જે આંતરિક વિકાસ અને સામાજિક ઉત્થાનને પ્રોત્સાહન આપે છે.
ચિન્મય અમૃત મહોત્સવ એ ચિન્મય ચળવળના ૭૫ વર્ષની વર્ષભરની ઉજવણી છે - જે કૃતજ્ઞતાની સામૂહિક અભિવ્યક્તિ છે અને પૂજ્ય ગુરુદેવ સ્વામી ચિન્મયાનંદજીના વિઝનથી પ્રેરિત આનંદ અને હેતુનું પુનરુત્થાન છે. તે "૭૫ વર્ષ. એક ચળવળ. સીમાઓથી પર. સદા પ્રેરણાદાયી." ની ભાવના સાથે વિશ્વભરના ચિન્મય ભક્તોને મુખ્ય ઉત્સવો, આધ્યાત્મિક પહેલો, સાંસ્કૃતિક કાર્યક્રમો, કેન્દ્ર-આધારિત ઇવેન્ટ્સ અને વૈશ્વિક ઓનલાઇન જોડાણો દ્વારા એકસાથે લાવે છે. નવી દિલ્હીમાં આગામી મુખ્ય કાર્યક્રમ, `ચિન્મય મિશન ગ્રાન્ડ સંમેલન` ૨૩ થી ૨૫ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન યોજાનાર છે, જે મિશનની ૭૫ વર્ષની આધ્યાત્મિક સેવા, સાંસ્કૃતિક પુનરુત્થાન અને રાષ્ટ્ર-નિર્માણમાં યોગદાનની સફરને યાદ કરતી એક નોંધપાત્ર ઘટના બનશે. સંમેલન માટે રજીસ્ટ્રેશન હવે ખુલ્લું છે.