03 October, 2011 09:06 PM IST |
બીજી બાજુ પ્રણવદા દુર્ગાપૂજા કરવા પશ્ચિમબંગના બીરભૂમ જિલ્લાના મિરિતીના પોતાના પૈતૃક ઘરે ગયા છે. પ્રણવ મુખરજી દર વર્ષે દુર્ગાપૂજા વખતે ચાર દિવસ અહીં રહે છે અને તેમનો વિધાનસભ્ય-પુત્ર અભિજિત દુર્ગાપૂજાની બધી વ્યવસ્થા કરે છે. નાણાપ્રધાન પ્રણવ મુખરજીએ પોતે ટેલિકૉમ કૌભાંડમાં પ્રકાશમાં આવેલી નાણામંત્રાલયની નોટના સંદર્ભમાં રાજીનામું આપવાના હતા એવા અહેવાલોને બકવાસ ગણ્યા હતા. પોતાના અને ચિદમ્બરમ વચ્ચેના સમાધાનને બીજેપીના નેતા અરુણ જેટલીએ ફારસ ગણાવ્યું એ વિશે પ્રણવ મુખરજીએ કૉમેન્ટ કરવાની ના પાડી દીધી હતી. દરમ્યાન વડા પ્રધાનને ૨૦૦૬ એપ્રિલથી ૮૪ સંસદસભ્યોએ ૨ઞ્ બાબતે પત્ર લખ્યા હતા.