નામિબિયાથી ભારતમાં લાવવામાં આવેલી માદા ચિત્તા સાશાનું મૃત્યુ

28 March, 2023 11:46 AM IST  |  Bhopal | Gujarati Mid-day Correspondent

સાડાચાર વર્ષની આ માદા ચિત્તા સહિત આઠ ચિત્તાને નામિબિયાથી લાવવામાં આવ્યાં હતાં અને તેઓ ૧૭ સપ્ટેમ્બરથી શેઓપુર જિલ્લામાં કુનો નૅશનલ પાર્કમાં છે.

નામિબિયાથી ભારતમાં લાવવામાં આવેલી માદા ચિત્તા સાશાનું મૃત્યુ તસવીર સૌજન્ય મિડ-ડે

મધ્ય પ્રદેશના કુનો નૅશનલ પાર્કમાં ગઈ કાલે કિડનીની બીમારીના કારણે નામિબિયન ચિત્તા સાશાનું મોત થયું હતું. લગભગ સાડાચાર વર્ષની આ માદા ચિત્તા સહિત આઠ ચિત્તાને નામિબિયાથી લાવવામાં આવ્યાં હતાં અને તેઓ ૧૭ સપ્ટેમ્બરથી શેઓપુર જિલ્લામાં કુનો નૅશનલ પાર્કમાં છે. પ્રિન્સિપાલ ચીફ કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ (પીસીસીએફ-વાઇલ્ડલાઇફ) જે. એસ. ચૌહાણે જણાવ્યું હતું કે કિડનીની બીમારીના કારણે ચિત્તા સાશાનું મૃત્યુ થયું હતું. છ મહિના કરતાં વધારે સમય પહેલાં આ માદા ચિત્તાનું આગમન થયું ત્યારથી એ અસ્વસ્થ હતી. એને ટ્રીટમેન્ટ માટે કુનો નૅશનલ પાર્કના ક્વૉરન્ટીન વાડામાં પાછી લઈ જવામાં આવી હતી. સાશાનું ક્રેટિનાઇન લેવલ ૪૦૦થી વધારે (ખરાબ કિડનીનું સૂચક) હતું, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. 

national news bhopal madhya pradesh wildlife