ચારધામ યાત્રાઃ ભક્તો માટે ખુલ્યા કેદારનાથ ધામના કપાટ

09 May, 2019 09:58 AM IST  |  કેદારનાથ

ચારધામ યાત્રાઃ ભક્તો માટે ખુલ્યા કેદારનાથ ધામના કપાટ

કેદારનાથ ધામના ખુલ્યા કપાટ

ગુરૂવારે સવારે બરાબર સવારે 5 વાગ્યેના 35 મિનિટે કેદારનાથ ધામના કપાટ ખુલી ગયા હતા. આવતા 6 મહિના સુધી ભોલેબાબાની પૂજા અહીં થઈ શકશે. દેશ વિદેશથી આવતા યાત્રિકો કેદારનાથ બાબાના આશીર્વાદ લઈ શકશે. કપાટ ખુલવાના મોકા પર 5 હજારથી વધુ ભક્તો આ શુભ અવસરના સાક્ષી બન્યા.

ગુરૂવારે સવારે ચાર વાગ્યાથી જ કેદારનાથ મંદિરના કપાટ ખોલવાની તૈયારીઓ શરૂ કરવી હતી. ડોલીની પૂજા અર્ચના બાદ પૂજારીઓએ વેદપાઠ કરાવ્યા અને સાફ સફાઈ કરી ભોગ લગાવામાં આવ્યો. જે બાદ 6 વાગ્યે ભક્તો માટે કપાટ ખોલવામાં આવ્યા.


આવતા 6 મહિના સુધી ભક્તો કેદારનાથ બાબાના દર્શન કરી શકશે. ભારે બરફ વર્ષા વચ્ચે પણ મોટી સંખ્યામાં લોકો બાબાના દર્શને આવી રહ્યા છે.

kedarnath