હરિયાણાના ડેરા સચ્ચા સૌદામાં ચેલાઓના ધરાર ખસીકરણ સામે CBI તપાસનો આદેશ

24 December, 2014 05:34 AM IST  | 

હરિયાણાના ડેરા સચ્ચા સૌદામાં ચેલાઓના ધરાર ખસીકરણ સામે CBI તપાસનો આદેશ




ડેરા સચ્ચા સૌદાના ભૂતપૂર્વ અનુયાયી હંસરાજ ચૌહાણે પોતાની અરજીમાં દાવો કર્યો હતો કે મારા સહિતના બીજા ૪૦૦ અનુયાયીઓની આશ્રમમાં ધરાર ખસી કરવામાં આવી હતી. ડેરાના અનુયાયીઓનું ખસીકરણ ગુરમીત રામરહીમ સિંહ દ્વારા તેમની હૉસ્પિટલમાં નોકરી કરતા તબીબો મારફતે કરાવવામાં આવે છે.

લિંગોચ્છેદનના આ કિસ્સાના અરજદાર હંસરાજ ચૌહાણની તબીબી તપાસ અગાઉ કરવામાં આવી હતી, જેમાં એમનું ખસીકરણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. બીજા સાત લોકોની પણ ખસી કરવામાં આવી હોવાનો અહેવાલ તબીબોએ આપ્યો હતો.