02 February, 2025 11:43 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પગરખાં અને ચામડાના ક્ષેત્રે કામ કરનારા શ્રમિકો અર્થે લાગુ કરાનારી યોજના દ્વારા બાવીસ લાખ લોકોને રોજગાર આપવામાં આવશે. એનાથી ચાર લાખ કરોડ રૂપિયાનું ટર્નઓવર શક્ય બનશે અને ૧.૧ લાખ કરોડ રૂપિયા મૂલ્યની નિકાસ થઈ શકશે.
રમકડાંના ઉત્પાદનનો વિકાસ કરવામાં આવશે. મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપનારાં નવાં પ્રકારનાં અને અનોખાં, ઉચ્ચ ગુણવત્તાનાં અને પર્યાવરણને અનુકૂળ રમકડાંનું ઉત્પાદન કરવામાં આવશે.
બિહારમાં નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફૂડ ટેક્નૉલૉજીની સ્થાપના કરવામાં આવશે, જેનાથી ખેડૂતોની આવક વધશે તથા યુવાઓને ઉદ્યમો સ્થાપવા મળશે અને રોજગારની તકો મળશે.