10 November, 2020 07:34 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ ફોટો
ઈ-કોમર્સ કંપની એમેઝોન મુશ્કેલીમાં મુકાઈ છે. બોયકોટ એમેઝોન#BoycottAmazon નું અભિયાન દ્વારા હિન્દુ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપસર લોકો સોશિયલ મીડિયા પર ચલાવી રહ્યા છે.
નોંધપાત્ર વાત એ છે કે 'ॐ' ને હિન્દુ ધર્મનું પવિત્ર પ્રતીક માનવામાં આવે છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચા મુજબ, આવા ડોરમેટ્સ એમઝોન પર વેચાઇ રહ્યા છે, જેના પર 'ॐ' છપાયેલું છે. આ સિવાય હિન્દુ દેવી-દેવતાઓનાં ચિત્રોવાળા ઇનરવેર વેચવા માટે એમેઝોનનો પણ સખત વિરોધ થઇ રહ્યો છે.
ટ્વિટર પર, એક યુઝરે એક પોસ્ટર લખતા જોવા મળે છે જેમાં લખવામાં આવ્યું છે કે, 'હું હિન્દુત્વની તિરસ્કાર બદલ એમેઝોનનો બહિષ્કાર કરું છું'. તેમાં તેણે કથિત રૂપે એમેઝોન પર વેચેલા કેટલાક આંતરિક વસ્ત્રોની તસવીરો પણ લગાવી છે, જેમાં હિન્દુ દેવ-દેવીઓની તસવીરો બનાવવામાં આવી છે.
તેમ જ આખા દિવસમાં ઘણા યુઝર્સે એમેઝોન પ્રત્યે પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા #BoycottAmazon હેશટેગ મૂકી રહ્યા છે.