19 October, 2014 03:11 AM IST |
વિધાનસભાની ચૂંટણીમાં શિવસેનાની મૅજોરિટી આવશે એવો અમને વિશ્વાસ છે. એમ જણાવતાં સંજય રાઉતે કહ્યુ હતું કે, ‘આ વખતે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળ મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકાર રચાશે. જોકે પરિણામો બાદ ચિત્ર સ્પષ્ટ થશે, પરંતુ જો સરકાર રચવામાં થોડી-ઘણી સીટો ઘટશે તો અમારી જૂની પાર્ટનર BJP સપોર્ટ કરશે એવો અમને વિશ્વાસ છે, કેમ કે અમારી વિચારધારા સરખી છે. રાજ્યમાં ભલે સીટ-શૅરિંગને કારણે યુતિ તૂટી, પરંતુ છેલ્લાં પચ્ચીસ વર્ષથી અમે રાજ્ય અને કેન્દ્રમાં સાથે જ રહ્યાં છીએ. હવે મહારાષ્ટ્રની જનતાની લાગણીને માન આપીને BJP સપોર્ટ કરશે એવો અમને વિશ્વાસ છે.’