28 October, 2020 03:32 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
રાહુલ ગાંધી (ફાઇલ ફોટો)
બિહાર વિધાનસભા ચૂંટણીમાં પહેલા ચરણની 71 સીટ પર મતદાન થઈ રહ્યું છે. મતદાનને લઈને કૉંગ્રેસના પૂર્વાધ્યક્ષ રાહુલ ગાંધીના ટ્વીટ પર વિવાદ થઈ ગયો છે. રાહુલ ગાંધીએ બિહારની જનતાને શુભેચ્છાઓ આપતા લોકોને એક ખાસ અપીલ કરી છે. ભાજપએ રાહુલ ગાંધીના નિવેદન પર ચૂંટણી આયોગને ફરિયાદ કરી છે.
ભાજપનું કહેવું છે કે ચૂટંણીના દિવસે રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટ દ્વારા આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. રાહુલે લોકોને રાજનૈતિક પાર્ટીને વોટ આપવાની અપીલ કરી છે. બિહારમાં કૉંગ્રેસ આરજેડી મળીને ચૂંટણી લડે છે, જ્યારે મહાગઢબંધને નેતા તેજસ્વી યાદવને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવાયા છે.