09 June, 2025 12:38 PM IST | Bhubaneswar | Gujarati Mid-day Correspondent
વિશ્વપ્રસિદ્ધ રેત-શિલ્પકાર સુદર્શન પટનાઈકે પુરીના દરિયાકિનારે આ નિમિત્તે ગઈ કાલે ખાસ રેતશિલ્પ તૈયાર કર્યું હતું
ગયા વર્ષે નવમી જૂને નરેન્દ્ર મોદીએ ત્રીજી વાર ભારતના વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. સતત ત્રીજી ટર્મની પહેલી ઍનિવર્સરી અને કુલ ૧૧મી ઍનિવર્સરીની ઉજવણી રૂપે જૂન મહિનામાં ભારતભરમાં BJP દ્વારા ‘સંકલ્પથી સિદ્ધિ સુધી’ થીમ સાથે વિવિધ કાર્યક્રમનું આયોજન થયું છે. વિશ્વપ્રસિદ્ધ રેત-શિલ્પકાર સુદર્શન પટનાઈકે પુરીના દરિયાકિનારે આ નિમિત્તે ગઈ કાલે ખાસ રેતશિલ્પ તૈયાર કર્યું હતું અને મોદીયુગનાં ૧૧ વર્ષને વિકસિત ભારતની સફર ગણાવી હતી.