03 November, 2020 05:23 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર
બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન વચ્ચે મુખ્ય પ્રધાન નીતીશકુમાર (Nitish Kumar) ત્રીજા તબક્કાના મતદાન માટે મધુબનીના હરલાખીમાં જાહેર સભાને સંબોધવા પહોંચ્યા હતા. ચૂંટણીસભામાં નીતીશકુમાર પર ચાલુ ભાષણે દરમિયાન ભીડમાંથી એક યુવકે પથ્થર ફેંક્યો હતો. નીતીશ પર કાંદા પણ ફેંકવામાં આવ્યા હતા.
નીતીશકુમાર પર પથ્થર ફેંકનારા યુવકે દારૂબંધીને લઈને હોબાળો મચાવ્યો હતો. પથ્થર ફેંકનાર વ્યક્તિએ સતત નારેબાજી કરતા કહ્યું હતું કે, બિહારમાં જાહેરમાં દારૂ વેચાઈ રહ્યો છે. દારૂની તસ્કરી થઈ રહી છે પરંતુ તમે કંઈ કરી શકતા નથી. નીતીશ કુમારના સુરક્ષાકર્મીઓએ તે વ્યક્તિને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગુસ્સાથી લાલઘુમ નીતીશ કુમારે કહ્યું હતું કે, ફેંકવા દો, જેટલા ફેંકવા હોય ફેંકવા દો.
આ ઘટના છતાં નીતીશ કુમારે પોતાનું ભાષણ યથાવત રાખ્યું હતું.