06 June, 2017 07:18 AM IST |
ઉત્તર પ્રદેશ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશનની બસ દિલ્હીથી ગોંડા જઈ રહી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા ૧૫ પૅસેન્જરોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકોના મૃતદેહો એટલી બધી હદ સુધી બળી ગયા છે કે તેમની ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ છે.
બસના ડ્રાઇવરનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું અને કન્ડક્ટરને ગંભીર ઈજા થઈ હતી. ટ્રકનો ડ્રાઇવર ફરાર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મૃત્યુ પામેલાઓનાં નજીકનાં રિલેટિવ્સને બે લાખની અને ઈજાગ્રસ્તોને ૫૦ હજારની મદદ આપવાની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે પણ મદદની જાહેરાત કરી હતી.