નરેન્દ્ર મોદીમાં દેશના સર્વશ્રેષ્ઠ વડા પ્રધાન બનવાની કાબેલિયત - બલબીર પુંજ
બીજેપીની રાષ્ટ્રીય કારોબારીની સાઇડલાઇનમાં બલબીર પુંજને મોદીની દેશનું નેતૃત્વ કરવાની કાબેલિયત વિશે પૂછવામાં આવ્યું હતું. મોદી અને અડવાણી આ બેમાંથી કોણ વડા પ્રધાન બનશે એના જવાબમાં બલબીર પુંજે કહ્યું હતું કે ‘એની મને ખબર નથી. દેશના લોકો એ નક્કી કરશે.’
મોદી નારાજ છે એટલે આવ્યા નથી એવા અહેવાલોને નકારી કાઢતાં બલબીરે કહ્યું હતું કે મોદી નવરાત્રિની પૂજામાં વ્યસ્ત છે એટલે તેમણે અમદાવાદ જ રહેવું પડે એમ છે.