મનમોહન ઉવાચ્ : અડવાણી આકરા શબ્દો ને ભાષાનો પ્રયોગ ન કરે

20 October, 2011 05:15 PM IST  | 

મનમોહન ઉવાચ્ : અડવાણી આકરા શબ્દો ને ભાષાનો પ્રયોગ ન કરે

મનમોહન સિંહે અડવાણીની વડા પ્રધાન તરીકેની તેમની કાબેલિયત વિશે જવાબ આપવાની ના પાડી હતી. અડવાણીએ મનમોહન સિંહને સૌથી નબળા વડા પ્રધાન કહ્યા હતા.

સરકાર તેલંગણાના અલગ રાજ્યનો ખરડો સંસદમાં લાવે તો અમે ટેકો આપવા તૈયાર - અડવાણી

તેલંગણા: યુપીએ (યુનાઇટેડ પ્રોગેસિવ અલાયન્સ) સરકાર તેલંગણાને અલગ રાજ્યનો દરજ્જો આપવાના વચનમાંથી ફરી ગઈ છે એવો આક્ષેપ કરતાં બીજેપી (ભારતીય જનતા પાર્ટી)ના સિનિયર નેતા લાલકૃષ્ણ અડવાણીએ રથયાત્રા દરમ્યાન મોટી મેદનીને સંબોધતાં કહ્યું હતું કે ‘સરકાર ધારે તો અલગ રાજ્યનો ખરડો સંસદના શિયાળુ સત્રમાં લાવે અને હું વચન આપું છું કે અમારા મેમ્બરો એને મંજૂર કરવામાં મદદ કરશે. જોકે યુવાનો સુસાઇડ કરતા હોવા છતાં આ સરકારનું પેટનું પાણી હલતું નથી.’