20 October, 2012 06:27 AM IST |
સૂત્રોના જણાવ્યા પ્રમાણે બીજેપી હવે વડા પ્રધાન સામે એફઆઇઆર નોંધવા માગે છે. બીજેપીની આ હિલચાલને પગલે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અગમચેતીનાં પગલાંના ભાગરૂપે વડા પ્રધાનને કાનૂની રક્ષણ આપવા કાયદાના જુદા-જુદા એક્સપર્ટ પાસેથી સલાહ માગી છે. આ બાબતે ઍટર્ની જનરલ જી. ઈ. વહાણવટીની સલાહ પણ માગવામાં આવી હતી. વહાણવટીએ તેમના રિસ્પૉન્સમાં જણાવ્યું હતું કે વડા પ્રધાન તથા કેન્દ્રીય પ્રધાનોને કાનૂની પગલાં સામે બંધારણીય રક્ષણની કોઈ જોગવાઈ નથી. જોકે સરકારે હાલના તબક્કે અગમચેતીનાં પગલાં ભરવાની જરૂર નથી. માત્ર ફરિયાદથી ચિંતા કરવાની જરૂર નથી. દરેક પોલીસ ફરિયાદ આપમેળે એફઆઇઆરમાં તબદીલ થતી નથી.