2021થી બેથી વધુ બાળકો ધરાવનાર વ્યક્તિને સરકારી નોકરી મળશે નહીં

23 October, 2019 02:28 PM IST  |  ગૌહાટી

2021થી બેથી વધુ બાળકો ધરાવનાર વ્યક્તિને સરકારી નોકરી મળશે નહીં

પ્રતીકાત્મક તસવીર

આસામ સરકારે અક મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. આ નિર્ણય પ્રમાણે ૨૦૨૧ની ૧ જાન્યુઆરીથી બે બાળકોથી વધુ બાળકો ધરાવનાર વ્યક્તિઓને કોઈ પણ પ્રકારની સરકારી નોકરી આપવામાં આવશે નહીં.

કૅબિનેટની બેઠક યોજવામાં આવી હતી. આ દરમ્યાન અનેક મહત્ત્વની બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે ભૂમિનીતિને પણ મંજૂરી આપવામાં આવી છે. જેમાં જમીનવિહોણા લોકોને ત્રણ વીઘા ખેતી માટે અને અડધો વીઘા મકાન બનાવવા માટે જમીન આપવામાં આશે.

આ સંદર્ભે મુખ્ય પ્રધાન સર્વાનંદ સોનોવાલના પબ્લિક રિલેશન સેલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી જેમાં કહેવામાં આવ્યું છે કે નાના પરિવારના ધોરણ મુજબ ૨૦૨૧ની ૧ જાન્યુઆરીથી બે કરતાં વધારે બાળકો ધરાવતા લોકોને સરકારી નોકરી આપવામાં આવશે નહીં.

૨૦૫૦ સુધીમાં ભારતની વસ્તી વધીને ૨૭.૩ કરોડ થઈ શકે છે. આ સાથે, સદીના અંત સુધીમાં ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની શકે છે.

national news assam