યુવાનોને પોતાની સાથે જોડાવા કેજરીવાલનું આમંત્રણ

26 November, 2012 06:11 AM IST  | 

યુવાનોને પોતાની સાથે જોડાવા કેજરીવાલનું આમંત્રણ

ગઈ કાલે રાજઘાટ ખાતે પક્ષના ટેકેદારોને સંબોધતાં અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે ‘કૉન્ગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી જેવા રાજકીય પક્ષો માત્ર લોકોને મત મેળવવા માટે તેમનો ઉપયોગ કરે છે પણ ક્યારેય તેમની દરકાર નથી કરતું. ભારતને બધા રાજકીય પક્ષોએ મળીને બહુ લૂંટ્યો છે. હવે યુવાનોએ આગળ આવીને સંસદમાં પોતાનું ખાસ સ્થાન બનાવવું પડશે. હું એટલે જ યુવાનોને આવતી કાલે જંતરમંતરમાં મારી રૅલીમાં હાજરી આપીને મારા પક્ષમાં જોડાવાનું અને આ રીતે પક્ષના સ્થાપક સભ્ય બનવાનું આમંત્રણ આપું છું.’

આ સિવાય ગઈ કાલે અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે તેઓ આગામી એક વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટી અને કૉન્ગ્રેસની પોકળતા છતી કરવા માટે આખા દેશનો પ્રવાસ કરશે.