દિલ્હીનાં મુખ્ય પ્રધાનના ઘરનો ઘેરાવ કરવા બદલ કેજરીવાલની અટકાયત

08 December, 2012 09:06 AM IST  | 

દિલ્હીનાં મુખ્ય પ્રધાનના ઘરનો ઘેરાવ કરવા બદલ કેજરીવાલની અટકાયત


સાઉથ દિલ્હીમાં એક મકાન તોડી પાડવાની કામગીરીના વિરોધમાં કેજરીવાલે ટેકેદારો સાથે મળીને શીલા દીક્ષિતના ઘરની બહાર જોરદાર દેખાવ કર્યા હતા. વહેલી સવારે સાત વાગ્યે કેજરીવાલ ૧૦૦ જેટલા ટેકદારો સાથે ત્રણ, મોતીલાલ નેહરુ માર્ગ પર આવેલા શીલા દીક્ષિતના ઘરની બહાર પહોંચી ગયા હતા. અટકાયત કરાયેલાઓમાં મનીષ સિસોદિયા અને કુમાર વિશ્વાસનો પણ સમાવેશ થાય છે.