જમ્મુ-કાશ્મીરમાં કોઈ પણ વ્યક્તિ જમીન ખરીદી શકશે

28 October, 2020 12:35 PM IST  |  Mumbai | Agencies

જમ્મુ-કાશ્મીરમાં કોઈ પણ વ્યક્તિ જમીન ખરીદી શકશે

નરેન્દ્ર મોદી

જમ્મુ-કાશ્મીરમાં હવે દેશનો કોઈ પણ વ્યક્તિ જમીન ખરીદી શકે છે અને ત્યાં સ્થાયી થઈ શકે છે. ગૃહમંત્રાલય દ્વારા મંગળવારે આ અંતર્ગત નવી સૂચના જાહેર કરવામાં આવી છે. જોકે ખેતીની જમીન પર પ્રતિબંધ ચાલુ રહેશે.
જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ જણાવ્યું હતું કે અમે ઇચ્છીએ છીએ કે બહારની ઇન્ડસ્ટ્રી જમ્મુ-કાશ્મીરમાં આવે, એ માટે ઇન્ડસ્ટ્રિયલ માટે જમીનની જરૂરિયાત હોવાથી હવે કોઈ પણ વ્યક્તિ જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદી શકે છે. જોકે ખેતીની જમીન ફ્ક્ત રાજ્યના લોકો માટે જ રહેશે.
આપને જણાવી દઈએ કે અગાઉ ફક્ત જમ્મુ-કાશ્મીરમાં ફ્ક્ત ત્યાના રહેવાસી જ જમીન ખરીદી અને વેચી શકતા હતા, પરંતુ હવે બહારના લોકો પણ જમીન ખરીદીને ત્યાં પોતાનું કામ શરૂ કરી શકે છે.
કેન્દ્રીય ગૃહમંત્રાલયે આ નિર્ણય જમ્મુ-કાશ્મીર પુનર્રચના કાયદા હેઠળ લીધો છે, જે અંતર્ગત કોઈ પણ ભારતીય હવે જમ્મુ-કાશ્મીરમાં કોઈ ફૅક્ટરી, મકાન અથવા દુકાન માટે જમીન ખરીદી શકે છે. આ માટે સ્થાનિક રહેવાસી હોવાના કોઈ પુરાવા આપવાની જરૂર રહેશે નહીં.
મહત્ત્વનું છે કે જમ્મુ-કાશ્મીરને ગયા વર્ષે જ કલમ ૩૭૦થી મુક્તિ આપવામાં આવી છે, ત્યાર બાદ ૩૧ ઑક્ટોબર, ૨૦૧૯ના રોજ જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયો હતો. હવે કેન્દ્રશાસિત પ્રદેશ હોવાના એક વર્ષ પૂરા થવા પર જમીનના કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે આ પહેલાં ફક્ત જમ્મુ-કાશ્મીરના રહેવાસીઓ જ જમીન ખરીદી અને વેચી શકતા હતા, પરંતુ હવે બહારથી લોકો જમીન પણ ખરીદી શકે છે અને ત્યાં પોતાનું કામ શરૂ કરી શકશે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે આ નિર્ણય જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન કાયદા હેઠળ લીધો છે, જે અંતર્ગત કોઈ પણ ભારતીય હવે જમ્મુ-કાશ્મીરમાં કારખાના, મકાન અથવા દુકાન માટે જમીન ખરીદી શકે છે. તેને સ્થાનિક રહેવાસી હોવાના પુરાવાની પણ જરૂર રહેશે નહીં.

national news narendra modi jammu and kashmir