અંકિત શર્માના ઓળખ છુપાવવા ચહેરા પર ઍસિડ નખાયો હતો : પોસ્ટમૉર્ટમ-રિપોર્ટ

29 February, 2020 07:46 AM IST  |  New Delhi

અંકિત શર્માના ઓળખ છુપાવવા ચહેરા પર ઍસિડ નખાયો હતો : પોસ્ટમૉર્ટમ-રિપોર્ટ

અંકિત શર્મા

ઇન્ટેલિજન્સ બ્યુરોના કર્મચારી અંકિત શર્માના પોસ્ટમૉર્ટમ-રિપોર્ટમાં એવી માહિતી આપવામાં આવી હતી કે તેમના શરીર પર ધારદાર છરીના અસંખ્ય ઘા હતા અને તેમની ઓળખ છુપાવવા માટે તેમના ચહેરા પર ઍસિડ નાખવામાં આવ્યો હતો.

આપના કૉર્પોરેટર તાહિર હુસેનના મકાન પાસેના નાળા નજીકથી અંકિતનો મૃતદેહ મળ્યો હતો. આજે શુક્રવારે એ નાળામાંથી વધુ ત્રણ મૃતદેહ મળ્યા હતા. એ ત્રણેયની ઓળખ હજી કરવાની બાકી હતી.

અંકિતના શરીરમાંના કેટલાક ઘા તો ખૂબ ઊંડા હતા. એના પરથી જણાતું હતું કે હુમલાખોરોએ કેવા ઝનૂનથી છરી ચલાવી હશે. અંકિતના પિતાએ આપના કૉર્પોરેટર તાહિર હુસેન સામે પોતાના પુત્રની હત્યા કરવાની ફરિયાદ નોંધાવી હતી. અંકિતનું શરીર અસંખ્ય ઘાથી વિક્ષિપ્ત થઈ ચૂક્યું હતું. આમ છતાં તેના ચહેરા પર તેજાબ રેડવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે સોમવારે હિંસાગ્રસ્ત ચાંદબાથ વિસ્તારમાંથી ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારી અંકિત શર્માની લાશ મળી હતી. સૂત્રોએ જણાવ્યા અનુસાર ઇન્ટેલિજન્સ વિભાગમાં ડ્રાઇવર તરીકે અંકિત શર્મા ફરજ બજાવતા હતા. મૃતક ચાંદબાગ વિસ્તારમાં જ રહેતા હતા. અંકિતે ૨૦૧૭માં આઇબીમાં નોકરી શરૂ કરી હતી.

national news new delhi