કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ થયા કોરોના મુક્ત

14 August, 2020 05:57 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ થયા કોરોના મુક્ત

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (ફાઈલ તસવીર)

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો કોરોના વાયરસ (COVID-19) રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. તેમણે ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી.

અમિત શાહે ટ્વીટર પર લખ્યું હતું કે, હું ઇશ્વરનો ધન્યવાદ કરું છું અને આ સમયમાં જે લોકોએ મારા સ્વાસ્થ્ય લાભ માટે શુભકામના આપીને મારી અને મારા પરિવારની હિંમત વધારી તે બધાનો હ્યદયથી આભાર વ્યક્ત કરું છું. ડૉક્ટરની સલાહ પર હજુ થોડા દિવસો સુધી હોમ આઈસોલેશનમાં રહીશ.

ગત 2 ઓગસ્ટના રોજ તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતા. આજે શુક્રવારે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, અમિત શાહના સારા સ્વાસ્થ્ય માટે ભાજપાના કાર્યકર્તાઓ દ્વારા દેશભરમાં હવન અને યજ્ઞો કર્યા હતા. સાળંગપુરમાં આવેલા કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં આજે ખાસ મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

coronavirus covid19 national news amit shah twitter