17 November, 2019 10:10 AM IST | Mumbai
અલાહાબાદ હાઈકોર્ટ
અલાહાબાદ હાઈ કોર્ટની લખનઉ ખંડપીઠે કેન્દ્ર અને રાજ્ય સરકારોને મુસ્લિમ વકફ બોર્ડની રચના કરવા સૂચન કર્યું છે. વર્તમાન સમયમાં શિયા અને સુન્ની માટે અલગ-અલગ વકફ બોર્ડ છે. આ આદેશ ન્યાયમૂર્તિ પંકજ જયસ્વાલ અને ન્યાયમૂર્તિ આલોક માથુરની ખંડપીઠે મસર્રત હુસૈન તરફથી દાખલ કરવામાં આવેલી જાહેર હિતની એક અરજી પર આ ચુકાદો આપ્યો હતો. કોર્ટે એવી પણ સ્પષ્ટતા કરી છે કે તે આ કેસમાં કોઈના ગુણ-દોષ અંગે ટિપ્પણી કરવા માગતી નથી.
હુસૈને એક અરજીમાં શિયા અને સુન્ની વકફ બોર્ડને ખતમ કરી મુસ્લિમ વકફ બોર્ડ બનાવવાની માગણી કરી હતી. તેમની દલીલ હતી કે વકફ અધિનિયમની કલમ-૧૩ (૨) પ્રમાણે રાજ્ય સરકાર ઇચ્છે તો શિયા અને સુન્ની વકફ બોર્ડની અલગ-અલગ સ્થાપના કરી શકે છે. આ ત્યારે જ શક્ય છે કે જ્યારે પ્રદેશમાં શિયા વકફ બોર્ડની સંખ્યા કુલ વકફ કરતાં ઓછામાં ઓછા ૧૫ ટકા હોય અથવા વકફની સંપત્તિથી શિયા વકફોની કુલ આવક ૧૫ ટકા હોય.
આ અરજી પ્રમાણે પ્રદેશમાં ન તો શિયા વકફની સંપત્તિ ૧૫ ટકા છે અને ન તો આ સંપત્તિથી કોઈ આવક પ્રાપ્ત થાય છે જેને લીધે અધિનિયમની કલમ ૧૩ (૨) પ્રમાણે પ્રદેશમાં શિયા અને સુન્ની અલગ-અલગ વકફ બોર્ડની સ્થાપના વિધિને લઈ સહમત નથી.