ભ્રષ્ટ રાજનેતાઓ ભારે બહુમતીથી ચૂંટાયા

27 October, 2014 03:56 AM IST  | 

ભ્રષ્ટ રાજનેતાઓ ભારે બહુમતીથી ચૂંટાયા




આ વખતે ભ્રષ્ટાચારના આરોપો ધરાવતા જે નેતાઓ ભારે બહુમતીથી ચૂંટાયા છે એમાં અજિત પવાર, છગન ભુજબળ અને વિજયકુમાર ગાવિતનો સમાવેશ છે. આ નેતાઓની સામે સતત ભ્રષ્ટાચારનો પ્રચાર થવા છતાં તેઓ ચૂંટાયા છે.

અજિત પવાર સામે સિંચાઈના ગોટાળા અને છગન ભુજબળ સામે નવી દિલ્હીના મહારાષ્ટ્ર સદનમાં ભ્રષ્ટાચાર આચરવા માટે ખુલ્લી તપાસની વિનંતી કરવામાં આવી છે, જ્યારે BJPના વિજયકુમાર ગાવિત સામે ગઈ સરકારે કોર્ટના ફટકાર પછી ચૂંટણીના એક અઠવાડિયા પૂર્વે ખુલ્લી તપાસ કરવાની મંજૂરી આપી હતી. આ ત્રણે નેતાઓએ પોતાનો બચાવ કરતાં જણાવ્યું છે કે અમારી સામેના આરોપો રાજનીતિથી પ્રેરિત છે.

ભ્રષ્ટ નેતાઓએ મેળવેલા મતો