કેદારનાથમાં ઍર ઍમ્બ્યુલન્સ લૅન્ડિંગ વખતે ક્રૅશ થઈ, કોઈ જાનહાનિ નહીં

18 May, 2025 12:46 PM IST  |  Dehradun | Gujarati Mid-day Correspondent

એક ઍર ઍમ્બ્યુલન્સ હેલિકૉપ્ટર કેદારનાથ પહોંચ્યું એ દરમ્યાન કેદારનાથના હેલિપૅડ પર ઉતરાણ કરતાં પહેલાં સંતુલન ગુમાવતાં ક્રૅશ થયું હતું. દુર્ઘટનામાં હેલિકૉપ્ટરની ટેલ બોન તૂટી ગઈ હતી.

કેદારનાથમાં ઍર ઍમ્બ્યુલન્સ લૅન્ડિંગ વખતે ક્રૅશ થઈ

ઉત્તરાખંડના કેદારનાથમાં શનિવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. એક ઍર ઍમ્બ્યુલન્સ હેલિકૉપ્ટર કેદારનાથ પહોંચ્યું એ દરમ્યાન કેદારનાથના હેલિપૅડ પર ઉતરાણ કરતાં પહેલાં સંતુલન ગુમાવતાં ક્રૅશ થયું હતું. દુર્ઘટનામાં હેલિકૉપ્ટરની ટેલ બોન તૂટી ગઈ હતી. જોકે આ અકસ્માતમાં પાઇલટ સુરક્ષિત બહાર નીકળી ગયો હતો. આ ઍર ઍમ્બ્યુલન્સ હૃષીકેશના ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS)ની હતી.

uttarakhand kedarnath religious places national news news all india institute of medical sciences