માયાવતી બાદ આંબેડકરનાં સ્ટૅચ્યુ તોડી પડાતાં ઉત્તર પ્રદેશમાં તંગદિલી

29 July, 2012 04:36 AM IST  | 

માયાવતી બાદ આંબેડકરનાં સ્ટૅચ્યુ તોડી પડાતાં ઉત્તર પ્રદેશમાં તંગદિલી

હાલમાં જ લખનઉમાં ઉત્તર પ્રદેશ નવનિર્માણ સેના નામના સંગઠને માયાવતીની પ્રતિમા તોડી પાડી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે શુક્રવારે રાત્રે કેટલાક તોફાની લોકોએ આંબેડકરની પ્રતિમાને તોડીને માથાનો ભાગ મેહનગર વિસ્તારના એક ખેતરમાં નાખી દીધો હતો. જિલ્લાના નયી પાલિયા અને જિયાસત ગામે પણ આંબેડકરની પ્રતિમા તોડવામાં આવી હતી.

 

આ ઘટનાને પગલે આઝમગઢમાં બીએસપીના કાર્યકરોએ ચાર કલાક સુધી ચક્કાજામ કર્યો હતો. સિનિયર પોલીસ-અધિકારીઓએ પ્રતિમાને પૂર્વવત્ કરવામાં આવશે એવી ખાતરી આપ્યા બાદ બીએસપીના કાર્યકરોએ વાહનોને પસાર થવા દીધાં હતાં.