અડવાણી યાત્રામાં બ્લૅક મનીનો મુદ્દો ગજાવશે

10 October, 2011 08:58 PM IST  | 

અડવાણી યાત્રામાં બ્લૅક મનીનો મુદ્દો ગજાવશે



અડવાણી આવતી કાલથી બિહારમાં શરૂ થનારી તેમની યાત્રાને અનુલક્ષીને પોતાના નિવાસસ્થાને આવેલા ગ્રામીણ લોકોને સંબોધી રહ્યા હતા. અડવાણીએ કહ્યું હતું કે ‘અમેરિકા અને જર્મની જેવા દેશોએ સ્વિસ બૅન્કોમાં તેમના નાગરિકોએ મૂકેલાં નાણાં પણ પાછાં મેળવી લીધાં છે ત્યારે ભારત કેમ આ નાણાં પાછાં મેળવી નથી શકતું? મનમોહન સિંહની સરકારે કાંઈ નહીં તો વિદેશી બૅન્કોમાં નાણાં મૂકનાર બ્લૅક મનીના સોદાગરોનાં નામો તો જાહેર કરવાં જોઈએ.’