આધાર કાર્ડ ઘણું ઉપયોગી : કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજ્યોને લખી જણાવ્યું

27 October, 2014 05:58 AM IST  | 

આધાર કાર્ડ ઘણું ઉપયોગી : કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજ્યોને લખી જણાવ્યું



આ બાબતે રાજ્ય સરકારોને લખેલા એક પત્રમાં ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે આધાર કાર્ડમાં એક વ્યક્તિને એક નંબર ફાળવવામાં આવ્યો હોવાથી તે વ્યક્તિની આંતરરાષ્ટ્રીય ઓળખની ચકાસણી શક્ય બને છે.

આધાર કાર્ડને લીધે વંચિત તથા જરૂરતમંદ લોકો સુધી બૅન્કિંગ જેવી સુવિધાઓ પહોંચાડી શકાય છે. આધાર કાર્ડ વ્યક્તિની ભૌગોલિક તથા બાયોમેટ્રિક માહિતી પર આધારિત હોવાથી બોગસ આઇડેન્ટિટી કે ફ્રૉડનું જોખમ રહેતું નથી એવું પણ ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું.