26 March, 2023 09:10 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
સુપ્રીમ કોર્ટ (તસવીર સૌજન્ય આઈ સ્ટૉક)
સંસદસભ્યોને દોષી ગણાવવામાં આવે અને બે વર્ષ કે એથી વધુ સમયગાળા માટેની સજા થતાં તેમને જનપ્રતિનિધિત્વ કાયદાની કલમ ૮ (૩) હેઠળ ઑટોમૅટિક ડિસક્વૉલિફાય કરવાના નિયમને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાઈ છે. કેરલાના સોશ્યલ ઍક્ટિવિસ્ટ આભા મુરલીધરનની આ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટમાં સીધી જ અરજી કરવાનું કારણ સંસદસભ્ય તરીકે કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીને ડિસક્વૉલિફાય કરવાની તાજેતરની ઘટના છે.