04 September, 2026 11:29 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
મનીષ બ્રહ્મભટ્ટ
કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજિત દીપકે સામે ખુલ્લો બળવો થયો છે. પાર્ટીના ભૂતપૂર્વ વૉલન્ટિયર મનીષ બ્રહ્મભટ્ટે ગુરુવારે દિલ્હીમાં કૉક્રૉચ જનતા પાર્ટી-ડેમૉક્રૅટિક (CJP-D)નામના નવા સંગઠનની જાહેરાત કરી હતી. મનીષ બ્રહ્મભટ્ટે આરોપ લગાવ્યો છે કે જંતર મંતર આંદોલન સાથે જોડાયેલા જૂના કાર્યકર્તાઓને સાઇડલાઇન કરીને માત્ર આમ આદમી પાર્ટી (AAP)ના ઇશારે કામ કરતા લોકોને જ રાષ્ટ્રીય ટીમમાં મહત્ત્વ આપવામાં આવી રહ્યું હતું.
મનીષ બ્રહ્મભટ્ટે દાવો કર્યો હતો કે યુવાનોના પ્રશ્નોથી શરૂ થયેલું આ સંગઠન હવે માત્ર ભારતીય જનતા પાર્ટી (BJP)નો વિરોધ કરવા પૂરતું સીમિત રહી ગયું છે. CJPની નવી રચાયેલી ૮ સભ્યોની ટીમમાં મોટા ભાગના લોકોના AAP સાથે સીધા સંબંધો હોવાનો તેમણે દાવો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ઑગસ્ટમાં છત્રપતિ સંભાજીનગર ખાતે અભિજિત દીપકેના ઘરે મુખ્ય સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જૂના કાર્યકર્તાઓને આમંત્રણ ન અપાતાં મનીષ બ્રહ્મભટ્ટ અને રાહુલ પંડ્યાએ ઘરની બહાર ઉગ્ર વિરોધ-પ્રદર્શન કર્યું હતું