ઉન્નાવ રેપ કેસ:ધારાસભ્ય કુલદીપ પર ૧૬ ડિસેમ્બરે કોર્ટ નિર્ણય સંભળાવશે

11 December, 2019 09:46 AM IST  |  Mumbai Desk

ઉન્નાવ રેપ કેસ:ધારાસભ્ય કુલદીપ પર ૧૬ ડિસેમ્બરે કોર્ટ નિર્ણય સંભળાવશે

કુલદીપ સેંગર દ્વારા ૨૦૧૭માં ઉન્નાવમાં એક યુવતીનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ મામલે તીસ હજારી કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. આ મામલે કોર્ટનો નિર્ણય ૧૬ ડિસેમ્બરે આવી શકે છે. ઉન્નાવ રેપ કેસમાં ધારાસભ્ય કુલદીપ સેંગર અને શશી સિંહ પર કોર્ટ નિર્ણય સંભળાવશે. આ કેસમાં જો કુલદીપસિંહ સેંગર દોષિત સાબિત થશે તો તેમને ઉમરકેદની સજા સંભળાવવામાં આવી શકે છે.

શશી સિંહ પર આરોપ છે કે તે પીડિતાને ધારાસભ્ય કુલદીપ સેંગર પાસે લઈને ગઈ હતી, જ્યાં કથિત રીતે કુલદીપ સેંગરે પીડિતા સાથે રેપ કર્યો હતો. આ મામલે ૧૬ ડિસેમ્બરે નિર્ણય આવી શકે છે. અન્ય ત્રણ મામલાઓમાં પણ સુનાવણી હાલ ચાલી રહી છે. આ મામલે બીજી ફરિયાદ પીડિતા સાથે થયેલા ગૅન્ગરેપને લઈને નોંધવામાં આવી છે. જ્યારે ત્રીજી ફરિયાદ પીડિતાના પિતા સાથે મારામારી અને પછી પોલીસ કસ્ટડીમાં થયેલા તેના મોત સાથે જોડાયેલી છે. નોંધનીય છે કે આ પહેલાં ૨ ડિસેમ્બરે કોર્ટે દુષ્કર્મના આ મામલામાં છેલ્લી દલીલો સાંભળવાની કાર્યવાહી સોમવારે શરૂ કરી હતી.

national news Crime News