હવે કાશ્મીરમાં પણ દોડશે મેટ્રો

01 September, 2019 01:22 PM IST  |  શ્રીનગર

હવે કાશ્મીરમાં પણ દોડશે મેટ્રો

મેટ્રો

કલમ-૩૭૦ નાબૂદ થયા બાદ સરકાર હવે કાશ્મીરીઓને મોટી ભેટ આપવા જઈ રહી છે. થોડાં જ વર્ષોમાં કાશ્મીરી લોકો મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી શકશે. સરકારે શ્રીનગરમાં મેટ્રોના નિર્માણની તૈયારી કરી લીધી છે. વિશેષજ્ઞોનું માનીએ તો શ્રીનગરમાં મેટ્રો ટ્રેન માટે ડીટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરી લેવામાં આવ્યો છે. ૨૦૨૦ સુધી શ્રીનગરમાં કામ શરૂ થઈ શકે છે. મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકાર આ સમગ્ર પ્રોજેક્ટ માટે ૫૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.

મળતી માહિતી મુજબ શ્રીનગરમાં બનનાર મેટ્રો ટ્રૅકની લંબાઈ ૨૫ કિલોમીટર હશે, જેને બે તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. જેને કૉરિડોર એક અને કૉ‌રિડોર બે નામ આપવામાં આવશે. એક કૉરિડોર એટલે ૧૨.૫ કિલોમીટરના ટ્રૅકમાં ૧૨ મેટ્રો સ્ટેશન તૈયાર કરવામાં આવશે. મલતબ સ્પષ્ટ છે કે બન્ને કૉરિડોરમાં ૨૪ રેલવે સ્ટેશન બનશે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં બે સ્ટેશન વચ્ચે અંદાજિત બે કિલોમીટરનું અતર છે. કોઈ જગ્યાએ દોઢ કિલોમીટર પણ છે.

આ પણ વાંચો : ઑનલાઇન ટ્રેન ટિકિટ બની મોંઘી : રેલવેએ ફરી શરૂ કર્યો સર્વિસ-ચાર્જ

પ્રોજેક્ટની વિશેષતાઓ

આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં અંદાજિત ૫૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
શ્રીનગરનો આ મેટ્રો પ્રોજેક્ટ પૂર્ણ એલિવેટેડ હશે.
ટોકન અને સ્માર્ટ કાર્ડનો પ્રયોગ કરવામાં આવશે.
- પ્રથમ ત્રણ ડબ્બાવાળી મેટ્રો ટ્રેન શરૂ કરવામાં આવશે.
એક ડબ્બામાં લગભગ ૨૫૦ મુસાફરો એકસાથે મુસાફરી કરી શકશે.
ઉનાળામાં શ્રીનગર મેટ્રો ટ્રેન ૧૭ કલાક ચાલશે તો શિયાળામાં ૧૪ કલાક ચાલશે.
તમામ સ્ટેશનની બહારથી મિની ફીડર બસ દોડાવવામાં આવશે.
શ્રીનગર મેટ્રો સુરક્ષાવ્યવસ્થા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.

srinagar jammu and kashmir national news