03 December, 2019 11:04 AM IST | New Delhi
અધીર રંજન
વડા પ્રધાન મોદી અને અમિત શાહને ઘૂસણખોર ગણાવવાના અધીર રંજન ચૌધરીના નિવેદન પર હોબાળો હજી શાંત થયો નથી ત્યાં તેમણે વધુ એક વિવાદિત નિવેદન આપી દીધું છે. લોકસભામાં કૉર્પોરેટ ટૅક્સ-કાપ પર ચર્ચા દરમ્યાન અધીર રંજન ચૌધરીએ નાણાપ્રધાન નિર્મલા સિતારમણને નિર્બલા ગણાવ્યા છે.
લોકસભામાં કૉન્ગ્રેસ સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરીએ કૉર્પોરેટ ટૅક્સમાં કાપનો વિરોધ અને એનાથી થતા નુકસાન ગણાવી રહ્યા હતા એ દરમ્યાન તેમણે કહ્યું કે અમે તમારું સન્માન કરીએ છીએ, પરંતુ ક્યારેક-ક્યારેક મારે તમને નિર્મલા સિતારમણની જગ્યાએ નિર્બલા સિતારમણ કહેવાનું મન થાય છે, કારણ કે તમે પ્રધાનપદ પર તો છો, પરંતુ જે તમારા મનમાં છે એ કહી પણ નથી શકતાં.