ઇસરોએ લોન્ચ કર્યો જીસેટ-7એ સંચાર ઉપગ્રહ, ઇન્ટરનેટ યુઝર્સને લાભ

19 December, 2018 06:46 PM IST  |  New Delhi

ઇસરોએ લોન્ચ કર્યો જીસેટ-7એ સંચાર ઉપગ્રહ, ઇન્ટરનેટ યુઝર્સને લાભ

શ્રીહરિકોટાના સ્પેસ સેન્ટરથી લોન્ચ થયો જીસેટ-7એ સેટેલાઈટ.

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો) આજે સાંજે 4.10 વાગે દેશનો 35મો સંચાર સેટેલાઈટ જીસેટ-7એ લોન્ચ કર્યો. 

જીસેટ-7એ સેટેલાઈટ ભારતીય ક્ષેત્રમાં ક્યૂ-બેન્ડના ગ્રાહકોને સંચાર ક્ષમતા પહોંચાડવામાં મદદ કરશે. (ફાઇલ)

ઇસરોના જણાવ્યા પ્રમાણે, સંચાર સેટેલાઇટ જીસેટ-7એને જીએસએલવી એફ-11 દ્વારા શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરના બીજા લોન્ચ પેડ પરથી લોન્ચ કરવામાં આવ્યો. ઇસરોએ પાંચ ડિસેમ્બરના રોજ યુરોપીય અંતરિક્ષ એજન્સી એરિયાનેસ્પેસના ફ્રેન્ચ ગુઆનાથી સંચાલ સેટેલાઈટ જીસેટ-11ના સફળ પ્રક્ષેપણ પછીથી જ પોતાના 35મા સંચાર સેટેલાઇટ જીસેટ-7એના લોન્ચની જાહેરાત કરી દીધી હતી.

આઠ વર્ષનું હશે આ મિશન

ઇસરોના જણાવ્યા પ્રમાણે ડિસેમ્બરમાં લોન્ચ થઈ રહેલા બંને સંચાર સેટેલાઈટ દેશમાં સંચાર સુવિધાઓ વધુ સારી બનાવશે. તેનો સૌથી વધુ લાભ ઇન્ટરનેટ યુઝર્સને મળશે. 2250 કિલો વજનનો જીસેટ-7એ સેટેલાઈટ ભારતીય ક્ષેત્રમાં ક્યૂ-બેન્ડના ગ્રાહકોના ગ્રાહકોને સંચાર ક્ષમતા પહોંચાડવામાં મદદ કરશે. તેનાથી ખાસ કરીને વાયુસેનાનો સંપર્ક સુધારવામાં મદદ મળશે. ઇસરોએ મંગળવાર સવારથી જીસેટ-7એના લોન્ચનું કાઉન્ટડાઉન શરૂ કરી દીધું છે. ઇસરોના જણાવ્યા પ્રમાણે, આ સેટેલાઇટ મિશનનો સમયગાળો 8 વર્ષનો રહેશે.


isro indian space research organisation