પતિએ તેની પત્ની અને ત્રણ બાળકોની ગળું કાપીને હત્યા કરી

23 April, 2019 11:24 AM IST  |  ગાઝિયાબાદ

પતિએ તેની પત્ની અને ત્રણ બાળકોની ગળું કાપીને હત્યા કરી

પ્રતીકાત્મક તસવીર

ગાઝિયાબાદના ઇન્દિરાપુરમના જ્ઞાનખંડ-૪માં એક સૉફ્ટવેર એન્જિનિયરે પત્ની અને ૩ બાળકોની ગળું કાપીને કરપીણ હત્યા કરતાં ચકચાર મચી ગઈ છે. મૃતકોમાં બે જોડકાં બાળકો હતા. પોલીસ અને ફૉરેન્સિક ટીમ એની તપાસ કરી રહ્યું છે. રવિવાર સાંજે આરોપીએ પોતાના સાળાને ફોન કરીને હત્યાની માહિતી આપવાની સાથે આત્મહત્યા કરવા જઈ રહ્યો છે એ વિશે પણ જણાવ્યું હતું. ત્યાર બાદ પરિવારે ઇન્દિરાપુરમ પોલીસને માહિતી આપી હતી.

મળતી માહિતી પ્રમાણે અહીં એક ફ્લૅટમાં રહેતા સુમિત (૩૭) બૅન્ગલોરની એક કંપનીમાં સૉફ્ટવેર એન્જિનિયર હતો. પોલીસ તપાસમાં ખબર પડી કે સુમિત જાન્યુઆરીથી નોકરી છોડીને જ્ઞાનખંડસ્થિત ફ્લૅટમાં પરિવારની સાથે રહેતો હતો. પરિવારમાં પત્ની અંશુબાલા (૩૫) અને દીકરો પ્રથમેશ (૬) અને જોડકાં દીકરા-દીકરી આરવ અને આકૃતિ (૪) હતાં. અંશુબાલા પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષિકા હતી. માહિતી મળી છે કે એન્જિનિયરે શનિવારે પત્ની અને ત્રણેય બાળકોની હત્યા કરી નાખી. આખી રાત મૃતદેહોની સાથે ફ્લૅટમાં જ રહ્યો.

આ પણ વાંચો : રાહુલના શરીર પર બૉમ્બ બાંધી બીજા દેશમાં મોકલી દેવા જોઈએ : પંકજા મુંડે

રવિવાર સાંજે તેણે વસુંધરામાં રહેતા સાળાને ફોન કરી પત્ની અને બાળકોની હત્યા વિશે કહ્યું અને એનો વિડિયો પણ મોકલ્યો. એસપી સિટી fલોક કુમારે કહ્યું કે સુમિત અત્યારે ક્યાં છે એની તપાસ કરી રહ્યા છીએ. તમામ મૃતદેહોને પોસ્ટમૉર્ટમ માટે મોકલી દીધા છે.

ghaziabad Crime News national news