20 February, 2019 07:53 AM IST |
અખિલેશ યાદવ
ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે લખનઉમાં પત્રકારપરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે ‘દેશના નેતાઓએ બુલેટ ટ્રેનની યોજનાઓને પ્રાથમિકતા આપવાને બદલે સૈનિકો માટે બુલેટપ્રૂફ જૅકેટ્સની ખરીદીને પ્રાથમિકતા આપવી જોઈએ.
આ પણ વાંચો : રાજકારણની સીડી ન બનાવો આતંકવાદી હુમલાને: શિવસેના
આવા ખતરનાક હુમલાના કાવતરા વિશે પૂર્વ સૂચના આપવામાં ગુપ્તચરતંત્રો શા માટે નિષ્ફળ ગયા એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. એ ઉપરાંત કેન્દ્ર સરકારે દેશની સરહદોના રક્ષણ માટે લાંબા ગાળાની યોજના ઘડવાની પણ જરૂર છે.’