કન્યાના આપઘાતના પ્રયાસ બાદ પ્રેમીએ આઇસીયુમાં લગ્ન કરવાં પડ્યાં

06 December, 2019 11:41 AM IST  |  Pune

કન્યાના આપઘાતના પ્રયાસ બાદ પ્રેમીએ આઇસીયુમાં લગ્ન કરવાં પડ્યાં

પ્રતીકાત્મક તસવીર

પુણેના ચાકણ વિસ્તારમાં પ્રેમમાં નિષ્ફળતાના કારણે આપઘાતનો પ્રયાસ કરનારી યુવતી સાથે હૉસ્પિટલના ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં સાત ફેરા ફરવાની પ્રેમી સૂરજ નલાવડેને ફરજ પાડવામાં આવી હતી. લાંબા વખતના સંબંધ બાદ સૂરજે લગ્ન કરવાનો નકાર ભણતાં કન્યાએ ૨૭ નવેમ્બરે ઝેર પીને આપઘાત કર્યો હતો. કન્યા નીચી જાતિની હોવાનું કહીને સૂરજે પરણવાની ના પાડી હતી. સૂરજ ત્રણ દિવસ પહેલાં કન્યા જોડેના સંપર્કો કાપીને રફૂચક્કર થઈ ગયો હતો, પરંતુ સ્થાનિક સંસ્થાના કાર્યકરો સૂરજ શોધીને હૉસ્પિટલના ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં લઈ ગયા હતા અને ત્યાં એકબીજાને હાર પહેરાવીને લગ્ન કરવાની ફરજ પાડી હતી. બે દિવસ પહેલાં કન્યાએ સૂરજ વિરુદ્ધ બળાત્કાર અને જાતિભેદ વિરોધી કાનૂની કલમો હેઠળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

pune pune news national news