05 April, 2020 11:57 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
9 વાગે 9 મિનિટ: રાજકારણીઓનો સાથ
માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ (COVID-19)ની લડાઈમાં રોશની કરીને સામુહિક એકતા દર્શાવવાની હાકલ કરી હતી. વડાપ્રધાનની અપીલનને માન આપીને નવ વાગે દેશવાસિયો સહિત રાષ્ટ્રપતિ અને રાજકારણીઓએ ઘરના પ્રાંગણમાં દીપ પ્રગટાવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાનનાં માતા હિરાબા, નાણા પ્રધાન નિર્મલા સિતારામન, યુનિયન મિનિસ્ટર રવિશંકર પ્રસાદ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષ વર્ધન, ઉત્તરપ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સહિતના રાજકારણીઓએ દીપ પ્રગટાવ્યા હતા.
આ રીતે તમામ રાજકારણીઓએ વડાપ્રધાનની જ્યોત સાથે પોતાની જ્યોતનો પ્રકાશ જોડ્યો હતો.