08 August, 2022 05:53 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતિકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)
કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં પૂર્વીય રાજ્યના એક સ્થળાંતર કામદાર દ્વારા કથિત રીતે 60 વર્ષીય ગૃહિણીની હત્યાના સંબંધમાં પશ્ચિમ બંગાળના પાંચ વતનીઓની અટકાયત કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે હત્યા કર્યા બાદ આરોપીઓએ લાશને કેશવદાસપુરમ વિસ્તારમાં તેમના ઘરના કૂવામાં ફેંકી દીધી હતી.
સ્થળની મુલાકાતે આવેલા તિરુવનંતપુરમ શહેરના પોલીસ કમિશનર સ્પાર્જન કુમારે પત્રકારોને જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળના પાંચ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેણે કહ્યું કે છઠ્ઠો વ્યક્તિ, જે રવિવાર સુધી તેની સાથે હતો, તે ગુમ છે અને તેની શોધ ચાલી રહી છે.
પોલીસે જણાવ્યું હતું કે બંગાળના વતની મજૂરોની ટીમનો ભાગ હતા જે પીડિતાના ઘરની બાજુમાં મકાન બાંધવા આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે આ ઘટના રવિવારે બની હતી જ્યારે મહિલા તેના ઘરે એકલી હતી. પોલીસે જણાવ્યું હતું કે મહિલા અને તેનો પતિ એકલા જ ત્યાં રહેતા હતા અને પરપ્રાંતિય કામદારોમાંથી એક તેમના ઘરમાં કામ કરતો હતો.
કુવામાંથી મહિલાની લાશ મળી
ઘરે પરત ફરતા પતિએ પત્નીની શોધખોળ કરી તો કુવામાંથી મહિલાની લાશ મળી આવી હતી. મેડિકલ કોલેજ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ, જેના અધિકારક્ષેત્ર હેઠળ ગુનો આચરવામાં આવ્યો હતો, તેણે કહ્યું કે તેઓએ ગુનેગારની ઓળખ કરી લીધી છે અને તેને શોધવાના પ્રયાસો ચાલુ છે. તેમણે કહ્યું કે આ મામલે તપાસ ચાલી રહી છે. પોલીસે જણાવ્યું કે હત્યા પાછળ લૂંટનું કારણ માનવામાં આવી રહ્યું છે.