કાનપુરમાં ભીષણ અકસ્માત ઓવરસ્પીડ ટ્રક પલટતાં ૨૨ શ્રમિકો દબાયા, ૬નાં મૃત્

03 March, 2021 11:44 AM IST  |  Kanpur | Gujarati Mid-day Correspondent

કાનપુરમાં ભીષણ અકસ્માત ઓવરસ્પીડ ટ્રક પલટતાં ૨૨ શ્રમિકો દબાયા, ૬નાં મૃત્

ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં એક મોટી માર્ગ-દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં ૬ વ્યક્તિનાં દર્દનાક મોત થયાં છે. હાઇવે પર એક ઓવરસ્પીડ ટ્રક અનિયંત્રિત થઈને પલટી ગઈ હતી જેના કારણે ટ્રકમાં સવાર ૨૨ લોકો ટ્રક નીચે દબાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં ૬ જણનાં મોત થયાં છે. બીજી તરફ અન્ય ૧૬ શ્રમિકોને ખૂબ જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા છે. એમાંથી ૮ શ્રમિકોને ગંભીર ઈજા થઈ છે, જે પૈકી એકની હાલત નાજુક હોવાનું કહેવાય છે. અન્ય ૮ શ્રમિકોને સામાન્ય ઈજા થઈ છે, જેમને પ્રાથમિક સારવાર બાદ પરિજનો પાસે લઈ જવાયા છે.

national news kanpur