મહારાષ્ટ્ર : બસ નદીમાં ખાબકી ૨૪નાં મોત, ૩૦ ઘાયલ

27 September, 2012 02:51 AM IST  | 

મહારાષ્ટ્ર : બસ નદીમાં ખાબકી ૨૪નાં મોત, ૩૦ ઘાયલ



સ્ટેટ ટ્રાન્સપોર્ટની એક બસ ગઈ કાલે સવારે નવ વાગ્યે બુલઢાણા ડિસ્ટ્રિક્ટના સંગ્રામપુર તાલુકાના ફિરોડા ફાટા પાસે બ્રિજ પરથી પૂર્ણા નદીમાં ખાબકતાં ૧૯ પ્રવાસીઓનાં મૃત્યુ થયાં હતાં. એ બસ શેગાંવ ડેપોની હતી અને પાતુર્ડાથી શેગાંવ જઈ રહી હતી. બસમાં એ વખતે ૩૩ પ્રવાસીઓ હતા, જેમાં કેટલાક સ્ટુડન્ટ્સનો પણ સમાવેશ હતો. મૃત્યુ પામેલા લોકોનો આંકડો વધવાની શક્યતા છે. 

૮૦ વર્ષ જૂના પુલ પરથી બસ પસાર થઈ રહી હતી ત્યારે  કઠેડો તોડીને નદીમાં જઈ પડી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો બચાવકાર્ય માટે દોડી આવ્યા હતા. આ ઉપરાંત પ્રશાસન દ્વારા બસને નદીના વહેણમાંથી ક્રેન દ્વારા બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા જે સાંજ સુધી ચાલ્યા હતા. ઘાયલોને પહેલાં નજીકની સ્થાનિક હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ કેટલાકની તબિયત ગંભીર જણાતાં તેમને અકોલાની સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.