અણ્ણા પોતાની કોર ટીમમાં સ્વચ્છ પ્રતિભા ધરાવતી વ્યક્તિઓને જ લેશે

14 November, 2011 10:34 AM IST  | 

અણ્ણા પોતાની કોર ટીમમાં સ્વચ્છ પ્રતિભા ધરાવતી વ્યક્તિઓને જ લેશે

 

આ આંદોલનની સારી વાત એ છે કે હજારો લોકો આમાં જોડાવા આગળ આવ્યા છે અને હવે અમારે તેમનું ચારિhય જોયા બાદ તેમને ટીમમાં લેવા છે. ટીમમાં લીધા બાદ પણ તેમની પ્રવૃત્તિઓ પર અમે નજર રાખીશું. અમે લોકોની પસંદગી પછી મીટિંગ બોલાવીશું અને તેમને ટ્રેઇનિંગ પણ આપીશું.’

કોર કમિટીની મીટિંગ બાદ અણ્ણા હઝારેએ માગણી કરી હતી કે કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇ (સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન)ને બંધારણીય સંસ્થા બનાવવી જોઈએ જેથી આ એજન્સી સરકારના નિયંત્રણમાંથી મુક્ત થાય. તેમણે કહ્યું હતું કે અમને કૉન્ગ્રેસ સામે કોઈ વાંધો નથી, પરંતુ આ પક્ષ જનલોકપાલ બિલના ટુકડા કરીને એને નબળું બનાવવાની કોશિશ કરી રહ્યો છે.