14 November, 2011 10:34 AM IST |
કોર કમિટીની મીટિંગ બાદ અણ્ણા હઝારેએ માગણી કરી હતી કે કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇ (સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન)ને બંધારણીય સંસ્થા બનાવવી જોઈએ જેથી આ એજન્સી સરકારના નિયંત્રણમાંથી મુક્ત થાય. તેમણે કહ્યું હતું કે અમને કૉન્ગ્રેસ સામે કોઈ વાંધો નથી, પરંતુ આ પક્ષ જનલોકપાલ બિલના ટુકડા કરીને એને નબળું બનાવવાની કોશિશ કરી રહ્યો છે.