13 January, 2022 02:50 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરઃ ટ્વિટર
1947ના ભારત-પાકિસ્તાનના ભાગલાએ પરિવારો વિખેરી દીધા હતા. કેટલીક પેઢીઓ એ ભૂલી ગઈ હશે કે તેમના સંબંધીઓ બે દેશોની સરહદની આ બાજુ હતા અથવા તે બાજુએ રહે છે. ભારત-પાકિસ્તાન વચ્ચે તૈયાર થયેલો કરતારપુર સાહિબ કોરિડોર આવા જ કેટલાક અલગ થયેલા લોકોની મુલાકાતનો સાક્ષી બન્યો છે. ઈન્ટરનેટ પર એક વીડિયો ગઇકાલથી વાઇરલ થયો છે, જેમાં જોઈ શકાય છે કે બે વૃદ્ધ વ્યક્તિઓ જેમના સંબંધીઓ તેમને કરતારપુર સાહિબ કોરિડોર લઈ ગયા હતા. જ્યારે તેઓ એકબીજાને મળ્યા ત્યારે તેઓ ભાંગી પડ્યા. આંખોમાંથી આંસુ સરી આવ્યા.
આ વીડિયો એ જ વડીલોનો છે. ચાઈનીઝ એપ ટિકટોક પરના આ વીડિયોનું કેપ્શન છે- "ભાઈઓ 1947ના ભાગલાના 74 વર્ષ પછી મળ્યા! પંજાબ માં(પાકિસ્તાન); (હવે મળ્યો છું, રડું આવી રહ્યું છે)." જેમ તમે જોઈ શકો છો, વડીલોને કરતાપુર સાહિબ જોવા માટે લાવવામાં આવ્યા હતા, જ્યાં છૂટા પડેલા ભાઈઓ મળ્યા હતા.
આ વીડિયો ટ્વિટર પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એક યૂઝરે ગગનદીપ સિંહે લખ્યું, "આ જુઓ... ભારત-પાકિસ્તાનના ભાગલા દરમિયાન અલગ થયેલા બે ભાઈઓ કરતારપુર સાહિબ કોરિડોરમાં મળ્યા હતા. જ્યારે તેણે બીજાને જોયા, ત્યારે તેણે ભરેલી આંખોથી ગળે લગાવ્યા.
એવું મનાય છે કે બંન્ને ભાઇઓની ઉંમર 80 વર્ષથી વધુ છે અને આ રિયુનિયન પાછળની કહાણી 74 વર્ષ પહેલાની છે. જ્યારે 1947માં ભારતના ભાગલા પછી એક ભાઈ અહીં જ રહ્યો અને બીજો નવા બનેલા દેશ પાકિસ્તાન આવ્યો. તેનું નામ મોહમ્મદ સિક્કિક અને મોટા ભાઈનું નામ હબીબ જણાવવામાં આવી રહ્યું છે, આ બંને વર્ષો પહેલા દેશના વિભાજન વખતે અલગ થઈ ગયા હતા.
આ વીડિયો જોઈને લોકો ભાવુક થઈ રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, પાકિસ્તાનમાં ગુરુદ્વારા દરબાર સાહિબને ભારત સાથે જોડતા કરતારપુર કોરિડોર પર આવા જ લોકોને એકબીજા સાથે મળતા જોઈ શકાય છે. જ્યારે બે એંસી વર્ષના જોડિયા મળે છે ત્યારે તે ખૂબ જ આનંદની વાત છે.
વીડિયો જોઈને એક યુઝરે લખ્યું- "જમીનને લાગણીમાં નહીં, ટુકડાઓમાં વહેંચી શકાય છે, આ શાસકો ક્યાં સમજશે, તેને માટે દિલ જોઈએ." અન્ય એક યુઝરે લખ્યું - "આ વીડિયો ખરેખર અદ્ભુત છે."