09 August, 2020 10:09 PM IST | Mumbai Desk | Gujarati Mid-Day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
રાજસ્થાનના જોધપુરમાં હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં દેચૂ પોલીસ્ટેશન વિસ્તારના હરિદાસોતાં ગામ પાસે એક સાથે 11 લોકોના શબ મળવાથી હડકંપ મચ્યો છે. આ 11 જણમાં ચાર મહિલાઓ, બે બાળકો અને 5 પુરુષોના મૃતદેહ સામેલ છે. ઘટના સ્થળે સુસાઇડ નોટ પણ મળી છે.
આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ પ્રશાસન અલર્ટ થઈ ગયું અને ઘટના સ્થળે અધિકારી પહોંચ્યા. આ સિવાય ફૉરેન્સિક તપાસ માટે ટીમ બોલાવવામાં આવી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે 11 જણના શબ મળ્યા છે. ઘટનાસ્થળે એફએસએલની ટીમ બોલાવવામાં આવી છે. આ બધા મૃતક લોકો એક જ રૂમમાં સૂઈ રહ્યા હતા.
આ 11 લોકો પાકિસ્તાની શરણાર્થી કહેવામાં આવી રહ્યા છે. આ બધાં ત્યાં ખેતી કામ કરતાં હતા. પાકિસ્તાનથી વિસ્થાપિત થયેલા લોકો માટે કામ કરતાં સંગઠનના નેતા હિંદૂ સિંહ સોઢા પણ લોડતા હરિદાસોતા ગામ પહોંચવાના છે.
કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે આ ઘટના અંગે ટ્વીટ કરતાં લખ્યું છે :
જણાવવાનું કે ઘટનાસ્થળે ગ્રામીણોની ભીડ એકઠી થઈ. આ પાકિસ્તાની શરણાર્થીઓમાં એક વ્યક્તિ બહારની નિવાસી હતી, પોલીસ તેને પૂછપરછ કરી રહી છે. આ સિવાય પોલીસ મૃતકોના પરિવારજનોની પણ પૂછપરછ કરી રહી છે.