25 August, 2012 09:46 AM IST |
જોકે વિજય માલ્યાએ કર્ણાટકના દક્ષિણ કન્નડા જિલ્લામાં આવેલા કુક્કી સુબ્રમણ્યમ મંદિરને ૮૦ લાખ રૂપિયાની કિંમતનો સોને મઢેલો દરવાજો આપ્યો હતો.
અત્યંત ધાર્મિક વૃત્તિ ધરાવતા માલ્યા અવારનવાર આ મંદિરનાં દર્શને આવે છે. આ ઉપરાંત તેઓ તિરુપતિ ખાતે ભગવાન બાલાજીનાં પણ સમયાંતરે દર્શન કરે છે. માલ્યાની કિંગફિશર ઍરલાઇન્સે કામગીરી શરૂ કર્યા બાદ ભાગ્યે જ ક્યારેય નફો કર્યો છે. ફેબ્રુઆરી મહિનાથી ઍરલાઇન્સના કર્મચારીઓને વેતન ચૂકવવામાં આવ્યું નથી. જોકે કિંગફિશરના નામે બિયર બનાવતી તેમની કંપની યુનાઇટેડ બ્રુઅરીઝનો પર્ફોર્મન્સ સારો છે.