તેજપ્રતાપનો ખુલસો: CM નીતીશ કુમાર સાથે વ્યક્તિગત સંબંધ

30 December, 2018 04:10 PM IST  | 

તેજપ્રતાપનો ખુલસો: CM નીતીશ કુમાર સાથે વ્યક્તિગત સંબંધ

'મુખ્યપ્રધાન નીતીશ કુમાર સાથે વ્યક્તિગત સંબંધ'

 

રાજદ સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપે કહ્યું છે કે મુખ્યપ્રધાન નીતીશ કુમાર સાથે તેમના વ્યક્તિગત સંબંધ છે અને રાજકારણમાં તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નહી પરંતુ તેમના પિતા લાલૂ પ્રસાદ યાદવની નકલ કરે છે. સાથે જ સફાઈ આપી છે કે તેમના મામા સાધુ અને સુભાષ યાદવના ઈશારે રાજકારણમાં સક્રિય થયા નથી. આ તેમનો પોતાનો નિર્ણય છે.

તેજપ્રતાપ યાદવ તેમની પત્ની એશ્વર્યા રાય સાથે તલાક માટે પટનાની અદાલતમાં કેસ દાખલ કર્યો છે અને પાછલા એક મહિનાથી રાજકારણથી દૂર કાશી-વૃંદાવનની તીર્થયાત્રા પર છે. તલાક પરિવારનો સાથ ન મળતા તેજપ્રતાપે અલગ રહેવાનો નિર્ણય લીધો છે. અને સરકાર સમક્ષ બંગલાની માગ કરી હતી જે પૂરી થઈ છે.

નીતીશ કુમારે અપાવ્યો બંગલો

તેજપ્રતાપે કહ્યું છે કે આ બંગલો અપાવવામાં મુખ્ય પ્રધાન નીતીશ કુમારે તેમની મદદ કરી છે. અને આ સાથે જ એમ પણ કહ્યું હતું કે નીતીશ કુમાર સાથે તેમના સંબંધ વ્યક્તિગત છે.