જે માણસ રમખાણો માટે માફી નથી માગતો તેની પાસે હું શું અપેક્ષા રાખું : સુનંદા પુષ્કર

01 November, 2012 03:48 AM IST  | 

જે માણસ રમખાણો માટે માફી નથી માગતો તેની પાસે હું શું અપેક્ષા રાખું : સુનંદા પુષ્કર



કેન્દ્રીય પ્રધાન શશી થરૂરની પત્ની સુનંદ પુષ્કરે ગઈ કાલે નરેન્દ્ર મોદીને જવાબ આપતાં જણાવ્યું હતું કે ‘જે વ્યક્તિ ૨૦૦૨માં થયેલાં રમખાણો માટે માફી નથી માગતી તેની પાસે હું કેવી રીતે માફીની અપેક્ષા રાખું.’ મોદીએ હિમાચલ પ્રદેશમાં ચૂંટણીપ્રચાર દરમ્યાન થરૂરની પત્ની ૫૦ કરોડ રૂપિયાની ગર્લફ્રેન્ડ ગણાવી હતી. બાદમાં થરૂરે તેનો જવાબ આપતાં કહ્યું હતું કે મારી પત્ની ૫૦ કરોડ કરતાં પણ કીમતી છે.

મોદીની કમેન્ટને અત્યંત અપમાનજનક ગણાવતાં પુષ્કરે કહ્યું હતું કે ‘જે રાજ્યે મહાત્મા ગાંધી, સરદાર પટેલ જેવી હસ્તીઓ આપી છે ત્યાં આવા પણ માણસો પેદા થયા છે. જે દેશ પાસે સોનિયા ગાંધી, મીરા કુમાર જેવી મહિલાઓ છે ત્યાં સ્ત્રીઓનું માન જળવાય એ જરૂરી છે.’