દિગ્વિજયનો બફાટ

16 November, 2012 06:41 AM IST  | 

દિગ્વિજયનો બફાટ


દિગ્વિજય સિંહે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર બાળ ઠાકરેને શ્રદ્ધાંજલિ આપી હતી. પછી બાળ ઠાકરે જીવિત હોવાનું ધ્યાનમાં આવતાં તેમણે તરત જ ઠાકરે પરિવારની માફી માગી હતી. જોકે તેમની આ ટ્વીટ પર લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. ગઈ કાલે દિગ્વિજયે ટ્વીટ કર્યું હતું કે ‘બાળ ઠાકરેના દુખદ અવસાનના સમાચાર સાંભળીને દુ:ખ થયું છે. મેં તેમની રાજકીય વિચારધારાને ક્યારેય સ્વીકારી નહોતી, પણ તેમની દૃઢતા અને હિંમતનો હંમેશાં પ્રશંસક રહ્યો છું. ઉદ્ધવ અને ઠાકરે પરિવારને મારું સાંત્વન છે.’