થાણેમાં બાંધકામ મજૂરોનાં ક્વૉર્ટર્સમાં લાગેલી આગમાં એક કામદારનું મૃત્યુ

22 February, 2021 12:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થાણેમાં બાંધકામ મજૂરોનાં ક્વૉર્ટર્સમાં લાગેલી આગમાં એક કામદારનું મૃત્યુ

પ્રતીકાત્મક તસવીર

રાજ્યના ડોમ્બિવલી ટાઉનશિપમાં એક હાઉસિંગ કૉમ્પ્લેક્સમાં બાંધકામના મજૂરોનાં ક્વૉર્ટર્સમાં આગ લાગતાં એક કામદારનું મૃત્યુ થયું હતું, જ્યારે કે અન્ય એકને ઈજા પહોંચી હતી, એમ ફાયર-વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.

કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકાના ફાયર-વિભાગના અધિકારી નામદેવ ચૌધરીએ જણાવ્યું હતું કે ‘માનપાડા વિસ્તારમાં વહેલી સવારે સાડાછ વાગ્યે લાગેલી આગમાં લગભગ ૧૨૦ ક્વૉર્ટર્સ આગમાં સપડાયાં હતાં. રાંધતી વખતે ગૅસ લીક થવાને કારણે આગ લાગી હતી તથા આગની જ્વાળાઓ અન્ય ક્વૉર્ટર્સમાં ફેલાઈ હતી, જેમાં કુલ મળીને ૧૭૨ કામદારો રહેતા હતા.

લગભગ પચીસ વર્ષનો બધિર કામદાર બચવા માટે સુરક્ષિત સ્થળે જવામાં અક્ષમ રહેતાં તેનું મૃત્યુ થયું હતું, જ્યારે કે અન્ય એક ઈજાગ્રસ્ત કામદારને સારવાર અર્થે હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

mumbai mumbai news thane